Thursday, 1 September 2011

કોથમિરનાં નાજુક પાંદડા છે ગુણોનો ખજાનો....!


 
-આ નાજુક પાંદડા કરે છે આપની ઘણી બધી પરેશાનીઓનો ઈલાજ

પોર્ટુગલની યૂનિવર્સિટી બિએરા ઈન્ટિરીઅરના વૈજ્ઞાનિકોએ કોથમિર પર રિસર્ચ કરી તેનો ખાસ ગુણ શોધી કાઢ્યો છે.

તેમના જણાવ્યાં પ્રમાણે, કોથમિર ફૂડ પોઈઝનિંગ અને સુપરબગથી બચાવે છે. આમ તો આપણા રસોડામાં કોથમિરનો ઉપયોગ તો થતો જ હોય છે પણ આ ફાયદો કદાચ આપ જાણતા નહીં હોવ.

રિસર્ચર ડૉક્ટર ફર્નેડાએ જણાવ્યું હતું કે, કોથમિરના ઓઈલથી કોઈપણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગથી બચાવી શકાય છે. આ એન્ટી બોડીનો સારો એવો વિકલ્પ બની શકે છે.

*આ સિવાય નાજુક કોથમિરના ફાયદાઓ જાણી લો

-કોથમીરને એક સારુ માઉથવોશ તરીકે ગણાવામાં આવે છે.

-આંખો માટે કોથમીર બહુ ગુણકારી હોય છે. થોડી કોથમીરને વાટીને પાણીમાં ઉકાળીને ઠંડી કરી લો,કપડાથી ગાળીને શીશીમાં ભરી લો.તેનાં બે ટીપાંને આંખોમાં ટપકાવવાથી આંખોમાં બળતરા,દર્દ તથા પાણી પડવાં જેવી સમસ્યાઓ દુર થાય છે.

-લીલી કોથમીર 20 ગ્રામ અને ચપટી કપુરને મેળવીને પીસી લો.આ બધોરસ નીચોવી લો.આ રસનાં બે ટીપાં નાકમાં બન્ને જગ્યાએ ટપકાવવાથી તથા તે રસને માથા પર લગાડીને ઘસવાથી લોહી તરત જ બંધ થઇ જાય છે.

-ગર્ભ ધારણ હોવાનાં બે-ત્રણ મહિનાં સુધી ગર્ભવતી મહિલાને ઉલટીઓ થાય છે આવામાં એક કપ કોથમીરમાં એક કપ ખાંડ ભેળવીને તેને ઉકાળીને તે ઉકાળો પીવાથી જીવ ગભરાવવાનું બંધ થાય છે.

-શરીરમાં તકલીફ હોય તો લીલી કોથમીરનાં પત્તાંનો રસ,મધ અને રોગન ગુલ આ ત્રણેયને ભેળવીને તેનો લેપ કરવાથી ચામડીમાં પર થતી ફોલ્લીઓ અને ખરજવામાં તરત આરામ મળે છે.

No comments:

Post a Comment