તસવીરોમાં જુઓ:ગજરાજ પણ આવ્યા વિધ્નહર્તાની સ્થાપનામાં
અમદાવાદમાં આજે ભક્તિભાવપૂર્વક વિધ્નહર્તાદેવ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. શહેરના થલતેજ વિસ્તારમાં ગણેશભક્ત રાજીવ અગ્રવાલના ઘરે અનોખી રીતે ગણેશસ્થાપના કરવામાં આવી હતી. તેમણે ગણેશ પ્રતિમાની સ્થાપના સમયે ગજરાજની પણ પૂજા કરી હતી. આ માટે તેમણે પોતાના ઘરે ગજરાજને ખાસ તેડાવ્યા હતા. આ ઉપરાંત શહેરના રાણીપ વિસ્તારમાં પણ ગજરાજની આગેવાનીમાં ગણેશપ્રતિમા અને ગજરાજનો વરઘોડો નીકળ્યો હતો. (તસવીરોઃ વિજય આચાર્ય)
No comments:
Post a Comment