Thursday, 1 September 2011

આજે ચંદ્ર જોશો નહીં, એમ થાય તો આ જ્યોતિષિય ઉપાય કરજો


- ગણેશ ચતુર્થીની રાત ચાંદને જોવું અશુભ માનવામાં આવે છે
-ગણેશ ચતુ્ર્થીના ચાંદને જોવાથી વ્યક્તિ ઉપર નજીકના ભવિષ્યમાં ચોરીનો આરોપ લાગવાનો ભય રહે


પાપ અને પુણ્યની અનેક માન્યતાઓ પ્રચલિત છે. શાસ્ત્રોમાં આપણા દ્વારા કરવામાં આવતા દરેક કામની બાબતમાં ઉલ્લેખ છે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ તેને પાપ માનવામાં આવે છે કે પુણ્ય. દરરોજ, દરેક તિથિ કે દરેક તહેવાર માટે કેટલાક કામ નિષેધ કરવામાં આવ્યા છે જેને કરવાથી આપણા પાપોમાં વધારો થાય છે. ગણેશ ચતુર્થીથી લઈને આગામી 10 દિવસ સુધી ગણેશોત્સવ ચાલશે. આ દિવસે ચંદ્ર જોનાર વ્યક્તિના પાપમાં વધારો થાય છે.

ગણેશ ઉત્સવ શ્રીગણેશની આરાધનાનો સમય હોય છે. આ દરમિયાન ભગવાન ગણપતિની પૂજા વગેરે કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂરી થાય છે અને દુઃખોથી મુક્તિ મળે છે. ગણેશ ચતુર્થી(ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી)ની રાત ચાંદને જોવું અશુભ માનવામાં આવે છે.

ગણેશ પુરાણ પ્રમાણે ગણેશ ચતુ્ર્થીના ચાંદને જોવાથી વ્યક્તિ ઉપર નજીકના ભવિષ્યમાં ચોરીનો આરોપ લાગવાનો ભય રહે છે. જૂના સમયમાં આ વાતનું સખત રીતે પાલન કરવામાં આવતું હતું કે ગણેશ ચોથ ઉપર ચાંદને જોવામાં ન આવે. ચતુર્થી ઉપર ચાંદ ન જોવાની બાબતે ગણેશ પુરાણમાં એક કથા આપવામાં આવી છે.

આ કથા પ્રમાણે એક વાર બ્રહ્માજી પોતાના રૂપ અને સુંદરતાના મદમાં ચૂર થઈ ગણેશની લાંબી સૂંઢ અને મોટા શરીરને જોઈને ઉપહાસ કરવા લાગ્યા. જ્યારે બ્રહ્માજીનો ઉપહાસ વધી ગયો ત્યારે ગણેશ અતિ ક્રોધિત થઈ ગયા અને જુદાં-જુદાં ડરાવણા રૂપ બનાવવા લાગ્યા. શ્રીગણેશના આવા બિભત્સ રૂપોને જોઈ બ્રહ્માજી ભયભીત થઈ ગયા અને પોતાની ભૂલના ક્ષમા યાચના કરવા લાગ્ય. તે વખતે ચંદ્ર પણ આ યુદ્ધ જોઈ રહ્યો હતો અને શ્રીગણેશના આ અલગ-અલગ રૂપને જોઈ તે પણ હસવા લાગ્યો. શ્રીગણેશનો ક્રોધ વધુ વધી ગયો. ક્રોધાવશ શ્રીગણેશે ચંદ્રને શ્રાપ આપી દીધો કે આજ પછી તને જે જોશો તેની ઉપર ગંભીર આરોપ લાગશે. આ શ્રાપથી ભયભીત થઈ ચંદ્રમા શ્રીગણેશની ક્ષમા યાચના કરવા લાગ્યા અને તેમની આરાધના કરવા લાગ્યા. તેનાથી શ્રીગણેશે શ્રાપની અવધિ માત્ર એક દિવસ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થી નક્કી કરી દીધી. ત્યારથી શ્રીગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોનારા ઉપર દોષ લગે છે. આ દોષથી પ્રભાવિત થઈ નજીકના ભવિષ્યમાં તે વ્યક્તિને ચોરીનો આરોપ લાગી શકે છે.

જો ચાંદ જોવા મળે તો આ ઉપાય કરજોઃ-

-જો જાણતા-અજાણતા તમે ચંદ્રને જોઈ ગયા હોવ તો તમારી ઉપર આરોપ લાગવાની સંભાવનાથી બચવા માટે શ્રીગણેશની આરાધના કરો.

-સવારના કાળમાં શ્રીગણેશને દૂર્વા અને લાડુ અર્પિત કરો.

-ગણેશજીને નારીયળ અર્થાત્ શ્રીફળ અર્પિત કરો.

-શ્રીગણપતિ સ્ત્રોતનો પાઠ કરો.

Related Articles:

ભગવાન શંકરે શા માટે શ્રીગણેશનું માથુ કાપી નાખ્યું?
સપ્ટેમ્બરમાં ગ્રહો અને નક્ષત્રો કેવા રહેશે તમારી માટે?
ગણેશ સ્થાપનાની દુર્લભ પદ્ધતિ, પરિવારને થશે લાભ જ લાભ
શ્રી ગણેશ પ્રશ્નાવલિ યંત્ર (21 થી 30 સુધી)
આ ગણેશ પ્રશ્નાવલિ યંત્ર આપશે દરેક સમસ્યાનો ઉપાય
શ્રી ગણેશ પ્રશ્નાવલિ યંત્ર (58 થી 64 સુધી)
બધાની આસ્થાનું કેન્દ્ર છે, સિદ્ધિવિનાયક ગણેશ
ગુરુની વાંકી ચાલ, 26 ડિસે. સુધી તમારી ઉપર કેવો પ્રભાવ પડશે?
શ્રી ગણેશની સ્થાપનાનાં શુભ મુહૂર્ત અને ગણેશ આરતી
ગણેશ ચતુર્થી ઉપર આ રીતે કરજો ગણેશ પૂજા
ગણેશ ચતુર્થીઃ સ્થાપના અને પૂજામાં આ વાતોનું ધ્યાન રાખજો
આજથી ગુરુ ચાલશે વાંકી ચાલ, શું અસર થશે દેશ-દુનિયા ઉપર

No comments:

Post a Comment