Thursday, 22 September 2011

ખાંસી જો ચાલુ જ રહે તો તે અન્ય બીમારીઓને જન્મ આપી શકે છે


ખાંસી કોઈ રોગ નથી. તે અન્ય રોગોના લક્ષણ માત્ર છે. ખાંસી જો ચાલુ જ રહે તો તે અન્ય બીમારીઓને જન્મ આપી શકે છે. ખાંસીના કારણે નબળાઈ સિવાય ગળા, શ્વાસનળી, ફેફસા અને હૃદયની બીમારીઓ પણ થાય છે. ટી.બી. દમમાં પણ ખાંસીના મુખ્ય લક્ષણો હોય છે. જ્યાં સુધી ઇલાજ ન કરવામાં આવે, ત્યાં સુધી માત્ર ખાંસીની દવાથી પણ થોડી વાર પછી જ લાભ મળે છે. જુકામ ખાંસી હોવાનું સૌથી મોટુ કારણ છે. ઘરેલુ ઉપચારથી ખાંસી સારી કરી શકાય છે.

ખાંસીમાં ગરમીમાં ઠંડા પાણીની સાથે અને ઠંડીમાં ગરમ પાણીથી નારંગીનો રસ લાભદાયી રહે છે.

પિસેલા આમળા એક ચમચી મધમાં મેળવી રોજ બે વાર ચાંટી જાઓ.

-પાલકના રસને હલકો ગરમ કરી કોગળા કરો.

-ચાની ચમચી મેથીદાણા એક ગ્લાસમાં પાણીમાં ઉકાળો. અડધુ પાણી રહે ત્યારે ગરમ-ગરમ પી જાઓ.

-અંજીર દૂધ સાથે પીવો.

-ચાર ચમચી તલ અને તેમાં એટલી જ ખાંડ નાંખી એક ગ્લાક પાણીમાં ઉકાળો, જ્યારે અડધુ થઈ જાય ત્યારે તેને પી જાઓ.

-તજને ચૂસતા રહો તો ખાંસી ઉપડતી નથી.

-દસ કાળીમરીને પાણીમા ઉકાળીને પીવો.

-કાળીમરી પીસી તેમાં મધ મેળવી સેવન કરો.

-ખાંસી વાંર-વાર ચાલતી રહે તો સાકરનો એક ટૂકડો મોમાં રાખો,

-બ્લેક કોફી પીવાથી પણ ખાંસીમાં રાહત મળે છે.

-ખાંસીમાં નાની એલાયચી ખાવાથી પણ લાભ થાય છે.


Related Articles:
દુશ્મનોને કારણે જો ચિંતિંત હો તો આ મંત્રનો જાપ કરો
ખર્ચ કરો રોજની 10 મિનિટ આ ફંડા પાછળ..ગજબનો વર્કિંગ પાવર મેળવશો
શું તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યનાં બદલવા માંગો છો? તો આ કરો
ખરી રહ્યા છે વાળ? 25ની ઉંમરમાં 50ના દેખાવો છો? તો આ કરો
જો જીવનમાં ક્યારેય ભટકવું ન હોય તો આ પ્રમાણે ઉપાય કરો
જન્માંક પ્રમાણે બેડરૂમમાં કરો આ બદલાવ, પૈસાનો વરસાદ થશે
સિદ્ધનાથઃ અહીં કરો શ્રાદ્ધ, થશે પિતૃઓનો ઉદ્ધાર
દામ્પત્ય જીવનમાં વારંવાર આવતા તણાવને દુર કરવા આટલું કરો
પૈસાની સાથે સુખ પણ મળશે,આ ઉપાય અજમાવો

No comments:

Post a Comment