Thursday, 22 September 2011

તમારા ઘરની સામે આ ઝાડ હોય તો ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે


વૃક્ષો અને છોડના સૌથી મોટા ફાયદા એ છે કે તેમાં ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. તે સિવાય પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ ઝાડ-છોડનું સર્વાધિક મહત્વ છે. તેના વગર વાતાવરણનું સંતુલન નથી કરી શકાતું. દરેક પરિસ્થિતિમાં હરિયાળી આપણા માટે ફાયદાકારક જ છે. તેના ફાયદાઓની સાથે જ શાસ્ત્રો પ્રમાણે અનેક ધાર્મિક અને જ્યોતિષિય મહત્વ પણ બતાવવામાં આવ્યા છે.

કેટલાક ઝાડ-છોડ એવા છે જેનાથી આપણે અનેક ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે આપણા ઘર કે ઘરની આસપાસ હોય તો તેના ફાયદા પ્રાપ્ત થાય છે. આ ઝાડ-વૃક્ષોમાં આંકડાના ઝાડ પણ સામેલ છે. જો આ ગ્રહ ઘરની સામે હોય તો ખૂબ જ લાભ પહોંચાડે છે.

શાસ્ત્રો પ્રમાણે આંકડાના ફૂલ શિવલિંગ ઉપર ચઢાવવાથી બધી મનોકામના પૂરી થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આંકડાનું ઝાડ મુખ્ય દરવાજા ઉપર કે ઘરની સામે જ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યતઃ સફેદ રંગના હોય છે. વિદ્વાનો પ્રમાણે કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશની પ્રતિકૃતિ નિર્મિત થઈ જાય છે જો કે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.

જ્યોતિષ પ્રમાણે જે ઘરની સામે કે મુખ્ય દરવાજાની નજીક આંકડાના ઝાડ હોય તો તે ઘર ઉપર ક્યારેય પણ કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ નથી પડતો. તે સિવાય ત્યાં રહેનાર લોકોને તાંત્રિક બાધાઓ ક્યારેય નથી સતાવતી. ઘરની આસપાસ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ બની રહે છે, જો કે આપણે સુખ-સમૃદ્ધિ અને ધન પ્રદાન કરે છે. એવા લોકો ઉપર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે અને જ્યાં-જ્યાંથી લોકો કામ કરે છે ત્યાંથી તેમને ધનલાભ પ્રાપ્ત થાય છે.
Related Articles:
ઘરમાં રહેલી આવી બારીઓ તે ઘરની મહિલાઓને જિદ્દી બનાવે
અંક 8 માટે આ ગુરૂવાર ધન અપાવનારો રહેશે અને તમારા માટે?
આ વાસ્તુ ટિપ્સથી તમારા ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવશે
રૂપિયા ને નોકરી, તમને બધુ મળશે, પણ આ વાત ધ્યાન રાખજો
ઘરમાં આવતા વિઘ્નોનો નાશ કરે છે આ ગણેશમંત્ર
ઘરમાં રખાતી આ નાની બેદરકારી, કાયમ તમને રહેશે પૈસાની તંગી
એ લોકોને મળે છે જલદી-જલદી પ્રમોશન, જેના ઘરમાં હોય...!
અષ્ટમી શ્રાદ્ધ 20મીએ, થશે ધન અને બુદ્ધિ લાભ
ગુરુ-શનિની રાશિમાં બુધ, આ લોકો ગુપ્ત યોજનાથી કમાય છે રૂપિયા

No comments:

Post a Comment