Monday, 17 October 2011

આ ઉપાય જેનાથી સરળતાથી મળશે પૈસા અને પ્રોપર્ટી સુખ

ઘણાં લોકો માટે સંપતિ સંબંધી કામો ફાયદાકારક નથી હોતાં.જે પણ સંપતિ ખરીદે છે અને વેચે છે તેના સોદાઓમાં સમસ્યા આવે છે.આવું શા કારણથી થતું હશે,એવો વિચાર આવે છે ને! આવું મંગળ ગ્રહ જો ખરાબ પ્રભાવ આપતો હોય તો થઇ શકે છે.

શું તમને પણ પ્રોપર્ટીથી સંબંધિત કાર્યોમાં મુશ્કેલી આવી રહી છે તમારે પણ જ્યારે કોઇ પ્રોપર્ટી સંબંધી સોદો કે કોન્ટ્રાક્ટ સાઇન કરવાનાં હોય ત્યારે કોઇની કોઇ મુશ્કેલી આવી જાય છે અને પ્રોપર્ટીથી સંબંધિત લોન પાસ નથી થઇ રહ્યી તો તમારે મંગળ દેવના કેટલાક નાના ઉપાય કરવાં જોઇએ જેથી તમારી સમસ્યા દુર થઇ જશે.

આજે દરેક જણ એવું ઇચ્છે છે કે પોતાની પાસે ઘર,બંગલો કે જમીન- સંપત્તિ હોય પરંતુ ઘણાં લોકો તો એવાં હોય છે કે જે આકરી મહેનત બાદ પણ પોતાનું ઘર નથી બનાવી શકતાં જ્યારે અમુક લોકો વગર પ્રયાસે પણ ઘર, બંગલો, જમીન, સંપતિ વગેરે મેળવે છે.જ્યોતિષની સહાયતાથી તમે આવા નાના ઉપાયોથી આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકો છો અને પ્રોપર્ટીના માલિક બની શકો છો કે પ્રોપર્ટી થકી ધન કમાઇ શકો છો.

તમારે આ ઉપાય કરવાં જોઇએ

- પ્રોપર્ટીનાં સંબંધિત લેણ-દેણ માટે મંગળવારનો દિવસ પસંદ કરો.

- મંગળવારનાં લાલ ગાયને મસુરની દાળ કે ગોળ ખવડાવો.

- લોનથી સંબંધિત કાગળ પર હનુમાનજીના પગનું સિંદુર લગાડો.

- 7 મંગળવાર સુધી કન્યા ભોજન કરાવો અને લાલ વસ્તુનું દાન કરો.

-કોઇપણ સંપતિનો સોદો પોતાના નામથી ના કરો.પત્ની કે બાળકોનાં નામથી કરો.મંગળની પૂજા કરો.

- દરેક મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં તાંબાનાં પાત્રનું દાન આપો.

No comments:

Post a Comment