
હિન્દીમાં એક કહેવત છે કે 'એક અનાર સૌ બીમાર' જોકે આ વૈજ્ઞાનિકોએ આ કહેવતને બીમારી સાથે સાંકળી લીધી છે જેમકે એક અનાર અને સૌ બીમારીઓના ઈલાજ.
હાલમાં જ થયેલી એક શોદમાં જાણવા મળ્યું છે કે દાડમના બીજ, છાલ અને તેના દાણામાં પ્યૂનિકલાજિન્સ નામનું રસાયણ હોય છે જે યૌન નપુંસકતા, કેન્સર, હાર્ટને લગતી બીમારીઓ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી મુક્તિ આપે છે.
સામાન્ય રીતે દાડમના દાણા ખાઈ તેની છાલ અને અંદરના બીજ કે તેની સફેદ પડ આપણે ફેકી દઈએ છીએ.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્યૂનિકલાજિન્સ મુખ્ય રૂપે દાડમના દાણાની સાથે તેની છાલ તેની અંદરની પીળી પરત અને દાણા બધામાં જ હોય છે.
આ ફળની ખૂબી એ છે કે પ્યૂનિક્લાજિન્સ નામનું આ રસાયણ અત્યાર સુધી ફક્ત દાડમમાં જ જોવા મળ્યું છે આ શોદને મેડિકલ સાયન્સમાં એક મોટી ઉપલબ્ધિ સમાન માનવામાં આવી રહ્યું છે તેની મદદથી આવનારા દિવસોમાં સારી એવી દવાઓ શોધી શકાશે.
કુદરતી રીતે જો મોટી મોટી બીમારીઓ દુર કરવાની દવા મળતી હોય તો પછી પુછવું જ શું.
No comments:
Post a Comment