
જો કોઇ વ્યક્તિને ઊંઘમાં ખરાબ વિચારો આવે, ભયાનક સપનાં આવે તો સ્વાભાવિકપણે તે પુરતી ઊંઘ ના જ લઇ શકે. આવામાં તેના સ્વાસ્થય અને માનસિક સ્થિતિ પર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. આમ ઊંઘ પુરી ના થવાને કારણે તે વ્યક્તિનાં જીવનમાં પણ તેનો ઘેરો અને ખરાબ પ્રભાવ પડે છે.
ઊંઘમાં આવનારા ખરાબ અને અશુભ વિચારો- સપનાંથી બચવા માટે દરેક લોકોએ ઊંઘતા પહેલા શાસ્ત્રો અનુસાર આપવામાં આવેલ આ ઉપાય ચોકક્સ અપનાવવો જોઇએ. શાસ્ત્રો અનુસાર સુતા પહેલા જાપ માટે અમુક વિશેષ મંત્ર આપવામાં આવ્યા છે..તેનાં પ્રભાવથી તેમને સ્વાસ્થય સંબંધી લાભ પણ પ્રાપ્ત થાય છે,તે સાથે તેમનાં પુણ્યોમાં વૃદ્ધિ પણ થાય છે અને પાપ નષ્ટ થાય છે.
ગો સ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિત માનસમાં ઘણાં અદભુત અને ચમત્કારી મંત્ર આપવામાં આવ્યા છે. આ મંત્રોનાં જાપ માત્રથી જ વ્યક્તિને ઘણાં દુખ અને મુશ્કેલીઓ દુર થાય છે.
સારી અને મીઠી ઊંઘ માટે રાતે સુતા પહેલા આ મંત્રનો જાપ કરો.
नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये
सत्यं वदामि च भवानखिलान्तारात्मा।
भक्तिं प्रयच्छ रघुपपुंगव निर्भरां मे
कामादिदोषरहितं कुरु मानसं च।।
આ અદભુત મંત્રનો અર્થ છે – હે શ્રી રામ, તમે દરેકનાં હ્રદયમાં નિવાસ કરો છો, તમે જ બધાની આત્મા છો. તમે મારી પર કૃપા કરો.મારી બીજી કોઇ ઇચ્છા નથી. હે શ્રી રામ મને પુર્ણ ભક્તિ આપો, તમારી કૃપા મારા પર બનાવી રાખો. મારા મનને કામ, ક્રોધ,ઇર્ષ્યા વગેરે દોષોથી મુક્ત કરો.
રાતે ભોજન કર્યા બાદ અને સુતા પહેલા મનને એકાગ્ર કરતાં શ્રી રામનું ધ્યાન કરો અને આ મંત્રનો જાપ કરો. તેનાં પ્રભાવથી નિશ્ચિત જ તમને લાભ પ્રાપ્ત થશે.
Related Articles:
સુતા સમયે તકિયાની નીચે આને જરૂર રાખો, સરસ ઊંઘ આવશે..
વર્ક લોડ.. વધતો તણાવ.. ઊંઘ ગાયબ.. હેં ને! ગાંડા ના થઇ જવાય જોજો હોં!!
આ ચમત્કારિક પ્રયોગ ! તમને મિનિટમાં ગાઢ ઊંઘ લાવી દેશે!
Related Articles:
સવારે ઊઠતાની સાથે સૌથી પહેલા હાથના દર્શન કરવા કેમ જરૂરી છે?
સૂતા પહેલા પગ હલાવવા, સારી વાત નથી કહેવાતી !
No comments:
Post a Comment