Monday, 17 October 2011

હ્રદયરોગ હવે દુર જ રહેશે, જમવામાં આ 4 વસ્તુઓ અપનાવો


બદલાતા યુગમાં અનેક કુટેવને કારણે અનેક નવી સમસ્યાઓ પણ અલગ- અલગ અને ક્યારેક તો ગંભીર રૂપ ધારણ કરી લે છે.હ્રદયની બીમારી આમાંથી જ એક છે.

વર્તમાનમાં જે પણ પરિસ્થિતિઓ છે, પરંતુ આવનારો સમય સ્વાસ્થય માટે પણ ખતરનાક સાબિત થઇ શકે છે. જાણકારોની માનીએ તો શારીરિક શ્રમનું ઘટતું પ્રમાણ અને માનસિક ભારને કારણે આવનારા સમયમાં લગભગ દરેક વ્યક્તિને બ્લડ પ્રેશર અને હ્રદય બીમારી થઇ શકે છે.

આવી અનેક સમસ્યાઓનાં ઘેરાવાને કારણે દવાઓનો ભાર ક્યાં સુધી સહન કરી શકો છો તે તમારા ઇમ્યુન સિસ્ટમ પર નિર્ભર કરે છે. તેનાથી બચવા માટે ભોજન સાથે જોડાયેલી અમુક વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું જોઇએ. રોજિંદો સમતોલ આહાર લેવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. ભોજનમાં અમુક વસ્તુઓનો સમાવેશ કરવાથી હ્રદયરોગથી બચી શકાય છે,તો આવો જાણીએ ભોજન સાથે જોડાયેલી આવી જ કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ વિષે જેનો સાચા અને નિયમિત પ્રયોગથી આપણા હ્રદય સંબંધી દરેક સમસ્યાઓને દુર રાખી શકાય છે.

ટામેટા– તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન એ અને પોટેશિયમ પુષ્કળ માત્રામાં મેળવી શકાય છે જેનાથી હ્રદયની બીમારીનો ભય ઓછો રહે છે.

ગાજર– વધેલા ધબકારાને ઓછા કરવા માટે ગાજર બહુ લાભદાયી છે. ગાજરનો રસ પીવો, શાકભાજી ખાઓ અને સલાડ રૂપે પ્રયોગ કરો.

લસણ – ભોજનમાં આનો પ્રયોગ કરો. ખાલી પેટે સવારનાં સમયે બે કળીઓ પાણીની સાથે ગળી જવાથી પણ ફાયદો મળે છે.

ડુંગળી– તેનો પ્રયોગ સલાડના રૂપમાં કરી શકો છો. તેના પ્રયોગથી લોહીનો પ્રવાહ ઠીક થાય છે. નબળા હ્રદયવાળા કે જેમણે વારંવાર ગભરામણ થતી હોય કે હ્રદયના ધબકારા વધી જાય તો તેના માટે ડુંગળી બહુ લાભદાયી છે.
Related Articles:
હ્રદયરોગ, કેન્સર તમારાથી દુર જ રહેશે, અપનાવો આ નુસખા

No comments:

Post a Comment