
જેના કારણે લોહી દુષિત અને ગંદુ થાય છે પરિણામે આવા ત્વચાના રોગોથી આપણે પીડાઇએ છીએ.
અહીયા કેટલાક ઘરગથ્થુ ઉપાય આપીએ છીએ,આ નુસખા અસરકારક તો છે જ સાથે તેની સૌથી મોટી વિશેષતા છે કે તેની કોઇ પણ સાઇડઇફેક્ટ નથી,
બહુ જ સરળ અને અનુભવની કસોટી પર ખરા ઉતરેલા છે આ નુસખા અજમાવો.
-જ્યાં સુધી આ ચામડીની સમસ્યાંમાંથી પુરી રીતે છુટકારો ના મળે ત્યાં સુધી ગળ્યું (ખાંડથી બનેલું) વાસી,તળેલુ અને વધારે મસાલા-મરચાવાળી વસ્તુઓને પુરી રીતે તિલાંજલી આપો.
- મુળાના બીજને પાણીમાં પીસીને ગરમ કરીને ફોડલીઓ,ખીલ,દાદર અને ખંજવાળવાળ સ્થાન પર લગાડવાથી તત્કાલ લાભ થાય છે.
-લીમડાના પાનને પીસીને ફોડલા,દાદર અને ખંજવાળ વાળા સ્થાન પર લગાડવાથી અને તેને પાણી સાથે પીવાથી તેમાં ખુબ જ લાભ થાય છે.
-પાલક,મુળાના પત્તાં,ડુંગળી,ટામેટા,ગાજર,જામફળ,પપૈયું વગેરેને ભોજનમાં નિયમિત રૂપે સમાવેશ કરો.
-સવારે ખાલી પેટે ચાર-પાંચ તુલસીના પાન ચુસવાથી પણ ત્વચાના રોગોમાં સ્થાયી રૂપે લાભ થાય છે.
-પાણી વધારેમાં વધારે પીવો.
-સવારે ઉઠીને 2 થી 3 કિલો મીટર ફરવા માટે અવશ્ય જાઓ જેથી તમારા શરીર અને લોહીને શુદ્ધ તાજા હવા મળી શકે અને શરીરનો લોહી સંચાર પણ કાર્યક્ષમ રહે.
No comments:
Post a Comment