Monday, 17 October 2011

શું જમવાનું બરાબર પચતું નથી? આ રહ્યા દાદીમાના સરળ નુસખા


અનિયમિત દિનચર્યા,બદલાયેલી ખાન –પાન શૈલી ને કારણે આજે પાચનતંત્રને લગતી સમસ્યાઓ થવી સ્વાભાવિક થતી જાય છે.આવો,જાણીએ આયુર્વેદના આ ઘરગથ્થુ નુસખા જે પાચન તંત્ર ને સદાય તંદુરસ્ત રાખવામાં અત્યંત મદદરૂપ નીવડશે.

1 – ભોજનના એક કલાક પહેલા પંચસકાર ચુર્ણ ને એક ચમચી ગરમ પાણીની સાથે લેવાથી ભુખ ઉઘડે છે.

2- રાતે સુતા સમયે આમળા 3 ભાગ, હરડે 2 ભાગ તથા બહેડા 1 ભાગ- આ બારીક ચુર્ણ કરીને એક ચમચી નવશેકા પાણી સાથે લો.તેનાથી પેટ એકદમ સાફ આવે છે અને ખુલીને ભુખ લાગે છે.

3- ભોજનમાં પાતળા અને હલકા વ્યંજનો નો પ્રયોગ કરીને ખાવાથી તે જલ્દી પચી જાય છે,જેનાથી જલ્દી ભુખ લાગે છે.

4- જમ્યા બાદ અજમાનું ચુર્ણ થોડા ગોળ ની સાથે ખાઇને નવશેકું પાણી પીવું,જેથી ખાવાની રૂચિ થશે,ભુખ લાગશે.

5 – ભોજન બાદ હિંગાષ્ટક ચુર્ણ એક ચમચી ખાવાથી પાચન – ક્રિયા ઠીક રહે છે.

6 – કોથમીર,લીલું મરચું,આદું,ફુદીનો,જીરૂં,હીંગ,મીઠું,સંચળ નાખીને ખાંડણી- દસ્તામાં પીસીને બનાવેલી ચટણી ખાવાથી ભોજનની ઇચ્છા થાય છે.

7 – ભોજન કર્યા બાદ થોડા દાડમના દાણા કે તેના બીજનું ચુર્ણમાં સંચળ અને થોડી ખાંડ પીસીને ભેળવીને તેને પાણી સાથે લેવાથી (એક ચમચીથી વધારે લેવી નહિ) ભુખ ઉઘડે છે.

- એક ગ્લાસ છાશમાં સંચળ,મીઠું,પીસેલું જીરૂં નાખીને પીવાથી પાચન ક્રિયા તેજ બનીને અપચો મટે છે.

9 – ભોજન બાદ 5- 10 મિનિટ ફરવું એ પાચનમાં સહાયકરૂપ થાય છે.

10 . ભોજન કર્યા બાદ વજ્રાસનમાં થોડી વાર બેસવું એ અત્યંત લાભદાયક રહે છે.

No comments:

Post a Comment