
1 – ભોજનના એક કલાક પહેલા પંચસકાર ચુર્ણ ને એક ચમચી ગરમ પાણીની સાથે લેવાથી ભુખ ઉઘડે છે.
2- રાતે સુતા સમયે આમળા 3 ભાગ, હરડે 2 ભાગ તથા બહેડા 1 ભાગ- આ બારીક ચુર્ણ કરીને એક ચમચી નવશેકા પાણી સાથે લો.તેનાથી પેટ એકદમ સાફ આવે છે અને ખુલીને ભુખ લાગે છે.
3- ભોજનમાં પાતળા અને હલકા વ્યંજનો નો પ્રયોગ કરીને ખાવાથી તે જલ્દી પચી જાય છે,જેનાથી જલ્દી ભુખ લાગે છે.
4- જમ્યા બાદ અજમાનું ચુર્ણ થોડા ગોળ ની સાથે ખાઇને નવશેકું પાણી પીવું,જેથી ખાવાની રૂચિ થશે,ભુખ લાગશે.
5 – ભોજન બાદ હિંગાષ્ટક ચુર્ણ એક ચમચી ખાવાથી પાચન – ક્રિયા ઠીક રહે છે.
6 – કોથમીર,લીલું મરચું,આદું,ફુદીનો,જીરૂં,હીંગ,મીઠું,સંચળ નાખીને ખાંડણી- દસ્તામાં પીસીને બનાવેલી ચટણી ખાવાથી ભોજનની ઇચ્છા થાય છે.
7 – ભોજન કર્યા બાદ થોડા દાડમના દાણા કે તેના બીજનું ચુર્ણમાં સંચળ અને થોડી ખાંડ પીસીને ભેળવીને તેને પાણી સાથે લેવાથી (એક ચમચીથી વધારે લેવી નહિ) ભુખ ઉઘડે છે.
- એક ગ્લાસ છાશમાં સંચળ,મીઠું,પીસેલું જીરૂં નાખીને પીવાથી પાચન ક્રિયા તેજ બનીને અપચો મટે છે.
9 – ભોજન બાદ 5- 10 મિનિટ ફરવું એ પાચનમાં સહાયકરૂપ થાય છે.
10 . ભોજન કર્યા બાદ વજ્રાસનમાં થોડી વાર બેસવું એ અત્યંત લાભદાયક રહે છે.
No comments:
Post a Comment