
આ મંદિર માટેનું ફંડ સ્વામીનારાયણ સમુદાય દ્વારા વિવિધ પ્રકારની ફંડ રેઈઝિંગ પ્રવૃત્તિઓ હાથ ધરીને એકઠું કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
બે દિવસ સુધી ચાલેલો આ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ 8 ઓક્ટોબરે સવારે શરૂ થયો હતો જેમાં વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું. આ પૂજામાં ભક્તોએ સમસ્ત મનુષ્યોના ઉજ્જવળ ભાવિ તેમજ શાંતિ માટે પૂજા કરી હતી.
આ પૂજા બાદ લેસ્ટરમાં બપોરે બે વાગ્યે એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેને નગર યાત્રાનું નામ આપવામાં આવ્યું હતું. આ વરઘોડો શહેરના હ્રદયસમા વિસ્તાર બેલગ્રેવ રોડ પરથી થઈને પસાર થયો હતો અને સાંજં પાંચ વાગ્યે મંદિરે પાછો ફર્યો હતો.
આ પ્રસંગે મંદિરના કોર્ડિનેટર કિર્તી પટેલે જણાવ્યુ હતુ કે આ મંદિર અમારા સમુદાયમાં એક મહત્વનો ભાગ ભજવશે અને દરેક લોકો અહીં આવીને મંદિરના ઉદ્ઘાટનને માણે તેમ અમે ઈચ્છીએ છીએ.





No comments:
Post a Comment