Monday, 17 October 2011

દુખ-દર્દ દુર થઇ જશે, જો બાથરૂમની બહાર દોરશો આવી લાલ લાઇન


- ઘરમાં રહેલ વાસ્તુદોષ ઘરનાં સભ્યો પર નકારાત્મક ઊર્જા વધારે છે.

- ખોટી દિશાં કે ખોટા સ્થાન પર સ્થિત ટોયલેટ-બાથરૂમને કારણે વારંવાર ઘરમાં બીમારીઓ આવે છે.


એવું માનવામાં આવે છે કે આપણને મળનારા સુખ અને દુખ એ આપણાં કર્મોનું જ ફળ છે. આપણે જેવા કર્મો કરીએ છીએ તેવું જ ફળ મળે છે. વાસ્તુ અનુસાર ઘણી વખત ઘરમાં જો કોઇ વાસ્તુ દોષ હોય તો તમારે તેનું ખરાબ ફળ પણ વેઠવું પડે છે.

ઘરમાં વાસ્તુદોષ હોય તો પરિવારનાં સભ્યોને ઘણાં પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ મુશ્કેલીઓ આર્થિક, સામાજિક, પારિવારિક અને શારીરિક પણ હોઇ શકે છે. જો તમારા ઘરમાં હંમેશા કોઇ ને કોઇ બીમાર રહેતુ હોય તો નિશ્ચિત તમારા ઘરમાં કોઇ ને કોઇ વાસ્તુદોષ હોઇ શકે છે.

ઘણાં ઘરમાં ટોયલેટ-બાથરૂમ ખોટી દિશાં કે ખોટા સ્થાન પર બનેલાં હોય છે જેને કારણે ત્યાં રહેનારા લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવામાં ટોયલેટ-બાથરૂમ સાચી જગ્યા પર બનાવવા જોઇએ પણ તેમાં વધુ પડતો ખર્ચો થઇ શકે છે. આવાં બિનજરૂરી ખર્ચાઓમાંથી બચવા માટે ટોયલેટ-બાથરૂમમની બહાર એક લાલ રંગની લાઇન દોરો. આ લાઇન ઓઇલ પેઇન્ટથી દોરેલી હોવી જોઇએ. આવું કરવાથી ટોયલેટ-બાથરૂમમાંથી નીકળનારી નકારાત્મક ઊર્જા વધશે નહી અને તમારા ઘરમાં વારંવાર આવતી બીમારીઓની સમસ્યા પણ દુર થશે.

Related Articles:
ઘરમાં પેદા થતા વાસ્તુદોષ દૂર કરવા આસાન ઉપાય કરો
ઘરમાં ચોરી ? કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે!!
ઘરમાં મહિલાઓ વચ્ચેનો તણાવ? ક્યાંક વાસ્તુદોષ તો નથી?
વાસ્તુદોષ દૂર કરવાનો સૌથી સહેલા ઉપાય

No comments:

Post a Comment