Monday, 17 October 2011

પથરીથી છુટકારો મેળવવા,કેટલીક ઘરગથ્થુ ટિપ્સ અપનાવો


 
પથરીનો દુખાવો અસહ્ય હોય છે. ઘણાં લોકો એક કરતા વધારે પથારીથી પીડાય છે. પથરીનો રોગને જો સમયસર દુર કરવામાં ના આવે તો અનેક બીમારીઓ જેવી કે ઇન્ફેકશન, બેકપેઇન વગેરે પણ શરીરમાં ઘર કરે છે.


જો આપને પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.

-લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.

-ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.

-નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.

-દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમાવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે)જે એકસીર ઇલાજ છે.

-પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો.

No comments:

Post a Comment