
- માથાના દર્દમાં લીંબુ, આલુબખારા કે આમલીનું શરબત પીવડાવાથી ઘણો આરામ મળે છે. માથામાં ઠંડા પાણીની ધાર પાડવાથી પણ દર્દમાં આરામ મળે છે.
- દરરોજ સવારે ખાલી પેટે એક સફરજન ખાવાથી માથાનાં દર્દની સમસ્યાથી છુટકારો મળે છે.
- આદુ એ દર્દ નિવારક દવાનાં રૂપમાં પણ કામ કરે છે. જો માથાનું દર્દ થઇ રહ્યુ હોય તો સુકાયેલા આદુને પાણીની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તેને પોતાના માથા પર લગાડી લો. તેને લગાડવાથી માથાની આછી બળતરા જરૂર થશે પરંતુ માથાનાં દર્દને દુર કરવામાં આ મદદરૂપ નીવડશે.
- એક ચમચી મેથીનાં દાણામાં ચપટી ભરીને હિંગ મેળવીને પાણીની સાથે ફાંકવાથી પણ પેટદર્દમાં રાહત મળે છે.મેથી એ ડાયાબિટિસમાં ઘણી લાભદાયી છે. મેથીનાં લાડુ ખાવાથી માથાનાં દર્દમાં રાહત મળે છે.
- તજને પાણીની સાથે બારીક પીસીને તેનો પાતળો લેપ કપાળ પર કરવો જોઇએ. લેપ સુકાઇ જાય તો તેને દુર કરી ફરી નવો લેપ તૈયાર કરી તેને લલાટ પર લગાડવો જોઇએ.
- પુષ્કર મુળને ચંદનની જેમ ઘસીને લેપને કપાળ પર લગાડવાથી માથાનું દર્દ ઠીક થઇ જાય છે.
No comments:
Post a Comment