Monday, 17 October 2011

ઘા ભલે ને ઊંડો હોય..જડમુળથી મટાડી દેશે આ દેશી નુસખા


ઘા ને ભરવા માટે એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાની કોઇ જરૂર નથી.કારણ કે ઘણીખરી એલોપેથીની દવાઓની સાઇડ ઇફેક્ટ પણ થાય છે.કોઇપણ પ્રકારનો ઘા હોય તો,ટાંકા લગાડેલા હોય કે ઓપરેશનનો ઘા હોય,અંદરનાં ઘા હોય કે કોઇપણ જાતનાં બહારનાં,ઘા પાકેલો હોય તો તે માટે આવી એન્ટિબાયોટિક્સ દ્વારા તમારા આંતરડા,જઠર,યકૃતને બગાડવાની કોઇ જરૂર નથી.

- આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને કોઇપણ પ્રકારનાં ઊંડા ઘા ને જડમુળથી મટાડી શકો છો.

- ઘા ને સાફ કરવા માટે તાજા ગૌમુત્રનો ઉપયોગ કરો,ત્યારબાદ ઘા પર હળદરનો લેપ કરો.

- એક થી ત્રણ દિવસનો ઉપવાસ કરો.ધ્યાન રાખો કે ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી જ પીઓ ,અન્ય કોઇ વસ્તુ ખાવી –પીવી નહિ. દુધ પણ લેવું નહિ.

- ઉપવાસ બાદ જેટલા દિવસ ઉપવાસ કર્યા હોય તેટલા દિવસ માત્ર મગને બાફીને જે પાણી બચ્યું હોય તે જ પીવું. મગનું ઘટ્ટ પાણી ધીરે – ધીરે લઇ શકાય.

- મગનાં પાણી પછી ધીરે-ધીરે મગ,ખિચડી.દાળ-ચોખા,રોટલી-શાક આ પ્રકારનાં સામાન્ય ખોરાક પર આવવું.

- કબજિયાતની તકલીફ રહેતી હોય તો રોજ એક ચમચી હરડેનું ચુર્ણ સવારે તથા રાતનાં પાણી સાથે લો.

- જેની વારંવાર ઘા પાકી જવાની પ્રકૃતિ હોય તેવી વ્યક્તિએ ત્રિફળ ગુગલ નામની 3- 3 ગોળીને દિવસમાં 3 વાર પાણી સાથે લેવી જોઇએ.

- સવારે 50 ગ્રામ ગોમુત્ર તથા દિવસમાં 2 વાર 3-3 ગ્રામ હળદરનાં ચુર્ણનું સેવન કરવાથી બહુ જલ્દી લાભ થાય છે.

- જુના ઘા માં ચંદ્રપ્રભાની વટીની 2- 2 ગોળીઓ દિવસમાં 2 વાર લેવી.

- ઘા પર જાત્યાદિ તેલ અથવા મલમ લગાડવો તેનાથી ઘા જલ્દી રુઝાવા લાગશે.

No comments:

Post a Comment