
- ડુંગળીના રસમાં દહીં, તુલસીનો રસ તથા લીંબુનો રસ મેળવી વાળમાં લગાવો તો વાળના ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે
આપણા ભારતમાં ભોજનને મસાલેદાર અને સ્વાદિષ્ટ બનાવવા માટે અનેક પ્રકારના મસાલાઓની સાથે જ ડુંગળી, લસણ, આદુ, લીલા મર્ચા અને ધાણા વગેરે નાંખીને ભોજન સ્વાદિસ્ટ બનાવવામાં આવે છે. સ્વાદ વધારનાર આ વસ્તુઓમાં એવા અનેક રાસાયણિક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. પરંતુ આ વસ્તુઓ શરીરની રોગ પ્રતિકારક શક્તિને એટલો વધારી દે છે કે તેનાથી શરીર ઉપર બીમારીઓની અસર નથી થતી. કહેવાય છે કે ડુંગળીનો વઘાર ભોજનમાં અનેક ગણો સ્વાદ વધારી દે છે.
પરંતુ ડુંગળી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી, તે ઘણી ગુણકારી પણ છે. આવો આજે અમે તમને બતાવીએ કે ડુંગળીના કેટલાક એવા પ્રયોગ જેને અપનાવાથી અનેક ગંભીર સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો...
-ડુંગળીને કાપીને સૂંઘવાથી માથાનો દુઃખાવો સારો થાય છે.
-જેઓ ખાલી પેટે સવારે ડુંગળી ખાય છે તેમને કોઈ પ્રકારની પાચનની સમસ્યાઓ પેદા નથી થતી અને દિવસભર તાજગી અનુભવાય છે.
-માસિક ધર્મની અનિયમિતતા કે દર્દમાં ડુંગળીના રસની સાથે જ મધ લેવાખી ઘણો લાભ થાય છે. તેમાં ડુંગળીના 3-4 ચમચી તથા મધની માત્રા એક ચમચી હોવી જોઈએ.
-ગરમીઓની સિઝનમાં ડુંગળી રોજ ખાવી જોઈએ. તેમ કરવાથી લૂ ઓછી લાગે છે.
-ડુંગળીનો રસ અને સરસિયાના તેલને બરાબર મેળવી માલિશ કરવાથી વાના દુઃખાવામાં રાહત મળે છે.
-ડુંગળીના 3-4 ચમચી રસમાં ઘી મેળવી પીવાથી શારીરિક શક્તિ વધે છે.
-ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના પીડિત વ્યક્તિને પીવડાવો. તેને ખાલી પેટે જ પીવો. મૂત્રાશયમાં પથરી નાના-નાના કણોના રૂપમાં બહાર નિકળી જશે. પરંતું એક વાતનું ધ્યાન રાખવું કે તેનું વધુ સેવન ન કરવું.
-બવાસીર(પાઇલ્સ)માં ડુંગળીનો 4-5 ચમચી રસમાં ખાંડ અને પાણી મેળવી નિયમિત રીતે કેટલાક દિવસ સુધી સેવન કરવાથી ખૂન આવવાનું બંધ થઈ જાય છે.
-ઘાવમાં લીમડાના પાનનો રસઅને ડુંગળીનો રસ સમાન રીતે મેળવીને લગાવાવથી ઝડપથી ઘાવ ભરવા લાગે છે.
-ડુંગળીના રસમાં દહીં, તુલસીનો રસ તથા લીંબુનો રસ મેળવી વાળમાં લગાવો. તેનાથી વાળના ખરવાનું બંધ થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે.
No comments:
Post a Comment