Monday, 17 October 2011

ખાંસીથી તંગ આવી ગયા છો? હવે આ છેલ્લો ઉપાય અજમાવો


ખાંસી કોઈ રોગ નથી. તે અન્ય રોગોના લક્ષણ માત્ર છે. ખાંસી જો ચાલુ જ રહે તો તે અન્ય બીમારીઓને જન્મ આપી શકે છે. ખાંસીના કારણે નબળાઈ સિવાય ગળા, શ્વાસનળી, ફેફસા અને હૃદયની બીમારીઓ પણ થાય છે. ટી.બી. દમમાં પણ ખાંસીના મુખ્ય લક્ષણો હોય છે. જ્યાં સુધી ઇલાજ ન કરવામાં આવે, ત્યાં સુધી માત્ર ખાંસીની દવાથી પણ થોડી વાર પછી જ લાભ મળે છે. જુકામ ખાંસી હોવાનું સૌથી મોટુ કારણ છે. ઘરેલુ ઉપચારથી ખાંસી સારી કરી શકાય છે.

ખાંસીમાં ગરમીમાં ઠંડા પાણીની સાથે અને ઠંડીમાં ગરમ પાણીથી નારંગીનો રસ લાભદાયી રહે છે.

પિસેલા આમળા એક ચમચી મધમાં મેળવી રોજ બે વાર ચાંટી જાઓ.

-પાલકના રસને હલકો ગરમ કરી કોગળા કરો.

-ચાની ચમચી મેથીદાણા એક ગ્લાસમાં પાણીમાં ઉકાળો. અડધુ પાણી રહે ત્યારે ગરમ-ગરમ પી જાઓ.

-અંજીર દૂધ સાથે પીવો.

-ચાર ચમચી તલ અને તેમાં એટલી જ ખાંડ નાંખી એક ગ્લાક પાણીમાં ઉકાળો, જ્યારે અડધુ થઈ જાય ત્યારે તેને પી જાઓ.

-તજને ચૂસતા રહો તો ખાંસી ઉપડતી નથી.

-દસ કાળીમરીને પાણીમા ઉકાળીને પીવો.

-કાળીમરી પીસી તેમાં મધ મેળવી સેવન કરો.

-ખાંસી વાંર-વાર ચાલતી રહે તો સાકરનો એક ટૂકડો મોમાં રાખો,

-બ્લેક કોફી પીવાથી પણ ખાંસીમાં રાહત મળે છે.

-ખાંસીમાં નાની એલાયચી ખાવાથી પણ લાભ થાય છે.

No comments:

Post a Comment