Monday, 17 October 2011

જ્યારે કોઈ ઝેરી જીવડું કરડે તો, આ છે અચૂક નુસખા


બદલતા વાતાવરણમાં હવામાં અનેક પ્રકારની જીવાતો ઉડતી રહેતી હોય છે, ઘણીવાર આવી જીવાત કરડી પણ જતી હોય છે. ખાસ કરીને ચોમાસામાં અનેક પ્રકારના ઝેરી જીવાતો પેદા થયા હોય છે તે શિળાયાની સિઝન સુધી જીવતા રહે છે અને તે ઘણીવાર શરીર ઉપર કરડે તો મોટા ઉઝરડા પાડી દેતા હોય છે. તો કેટલીક વાર ઝેરી કિડીઓ પણ કરડતી હોય છે. આવી જીવાત જ્યારે કરડે છે ત્યારે તે સ્થાને ઘણી સૂજન આવી જાય છે. મધમાખીઓ પણ ખૂબ જ જોરથી કરડતી હોય છે તો ઘણી ખતરનાક સાબિત પણ થાય છે. કેટલાક કીડાઓના ડંખ તો ખૂબ જ બળતરા અને બેચેન કરી દેતા હોય છે. જેનો યોગ્ય ઈલાજ પણ જરૂરી હોય છે.

બજારમાં મળતી દવાઓથી તરત જ આરામ નથી મળતો, તે વખતે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે, પરંતુ આરામ માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ અપનાવવા જોઈએ.

-દંશ-ડંખના સ્થાને લીંબુનો રસ લગાવો.

-કેરીની ગોટલી પાણીમાં ઘસીને લગાવવાથી પણ દર્દમાં આરામ મળે છે.

-ડંખના સ્થાને આકડાનું દૂધ લગાવો તેનાથી તરત જ રાહત મળશે.

-દાડમના પાના પીસીને લગાવો તો પણ લાભ થશે.

-ઝેરી કિડા કરડે ત્યારે ડુંગળી પીસી મધ મેળવીને ડંખના સ્થાને લગાવો.

-તુલસીનાપાનને શરીર ઉપર લગાવો અને પાનાને પીળી તેનો રસ પીવો.

-ઝેરી કીડા, મધમાખી કે વિંછી કરડે ત્યારે લીમડાના પાન પીસીને લેપ કરો અને લીમડાના પાન ચાવો.

-માટીની ભીનો પાટો બાધો.

-ફૂદીનાના પાના ચાવો.

No comments:

Post a Comment