Monday, 17 October 2011

શું તમારૂ મન અશાંત રહે છે? આ ઉપાય અજમાવો


શું તમારૂ મન હંમેશા અશાંત રહે છે? હંમેશા મનમાં ખરાબ વિચાર આવે છે અને કોઇ પણ અજાણ્યા ભયથી પીડાતા હો તો તમારે ચંદ્ર યંત્રનું પૂજન કરવું જોઇએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો સ્વામી માનવામાં આવે છે એટલે કે મન સંબંધી થતાં દરેક વિકાર ચંદ્રના કારણે થાય છે. જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર પ્રતિકૂળ હોય તો તેવાં લોકોને આવી સમસ્યા સૌથી વધારે હોય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા રહેતી હોય તો ચંદ્ર યંત્રનું પૂજન આ પ્રકારે છે.

પૂજા વિધિ

ચંદ્ર યંત્રની ચલ કે અચલ પ્રતિષ્ઠા કરીને પૂજન કરવાથી જલ્દી અનુકૂળ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ચંદ્ર દેવને શીઘ્ર પ્રસન્ન કરવા હોય તો ચંદ્ર યંત્રની સાથે જ ભગવાન શંકરની પણ પૂજા કરવી જોઇએ કારણ કે ચંદ્રમાં ભગવાન શિવનાં મસ્તક પર જ બિરાજમાન છે.


- સુદ પક્ષનાં કોઇ સોમવારે કે પૂનમનાં દિવસે શુભ મુહૂર્ત જોઇ ચંદ્ર યંત્રની સ્થાપના કરો.

- પંચોપચાર પૂજન કરો અને ખીર અથવા કોઇ સફેદ મીઠાઇનો ભોગ લગાડો, સફેદ ફૂલ ચઢાવો.

- તેના પછી સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ કરો -

મંત્ર

ऊँ श्रां श्रीं श्रौं स: सौमाय नम:

- દરરોજ આ મંત્રનો જાપ કરો.

લાભ

આ યંત્રને સામે રાખીને પૂજા કરવાથી દરેક પ્રકારનાં ભય નષ્ટ થાય છે તથા શારીરિક સ્વાસ્થય પણ પ્રાપ્ત થાય છે. વેપાર-વ્યવસાય તથા નોકરી વગેરેમાં સફળતા મળે છે. સમાજમાં ઉન્નતિ મળે છે તથા કાર્યોમાં કોઇપણ પ્રકારની બાધાઓ ઉત્પન્ન થતી નથી અને માનસિક વિકાર દુર થાય છે.

Related Articles:
મન ચિંતાથી ઘેરાયેલું હોય ત્યારે, આ વાતો તમને હિંમત આપશે
શનિવારે બોલો આ ચંદ્ર મંત્ર..મન થશે શાંત અને બુદ્ધિ તેજ થશે
આવી રીતે થઈ શકે, આપણા તન, મન અને ધનની શુદ્ધિ!
મન પસંદ વર કેવી રીતે પ્રાપ્ત થાય?આ ઉપાય કરો
મજબૂત મન હશે તો જ, તમે સફળતાની ટોચે પહોંચશો
સ્વસ્થ શરીર, તેજ દિમાગ અને શક્તિશાળી મન

No comments:

Post a Comment