Monday, 17 October 2011

તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવશે આ નાનીમાના નુસખા


- સ્વસ્થ અને ચમકીલી ત્વચાએ તમારી સુંદરતાને વધુ નિખારે છે જેનાં કારણે તમારૂં વ્યક્તિત્વ આલગ જ તરી આવે છે.

જો તૈલી ત્વચાની બરાબર દેખરેખ રાખી ના શકતાં હોવ તો તેનાં કારણે ખીલ-ફોડલીઓની સમસ્યાઓ ઊભી થાય છે જે તમારા ચહેરાની સુંદરતાને છીનવી લે છે.

પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક નુસખાઓથી આ સમસ્યાને સરળતાથી મ્હાત આપી શકાય છે.

- આવો જાણીએ ચહેરાની સુંદરતાને જાળવવાનાં અકસીર નુસખા

- ત્વચાને પ્રાકૃતિક રૂપથી સુંદર બનાવવી હોય તો દરરોજ 8- 10 લીટર તરલ પદાર્થ રાખો. તેનાથી ત્વચામાં કુદરતી નરમાશ જળવાઇ રહેશે અને ત્વચા ચીકણી નહી દેખાય.


- ત્વચાનું પીએચ સ્તરને ટકાવી રાખવા માટે ચહેરા પર ખીરાનો રસ લગાડો અને બની શકે તો તે કાકડીનો રસ પણ નિયમિત રૂપે પીવો. આ ઉપરાંત ટામેટાનાં પલ્પને હળવાં હાથથી ચહેરા પર ઘસો.

-બારીક ચણાનો લોટ, ઘઉંનો લોટ, સુકાયેલા સંતરાની છાલનો પાવડર તથા એક ચમચી મલાઇ મેળવીને ઉબટન બનાવો.

નહાવાનાં પહેલા આ ઉબટનને ચહેરા પર લગાડીને 5 થી 7 મિનિટ સુધી રાખવાથી તૈલી ત્વચાની સમસ્યાથી તાત્કાલિક છુટકારો મળે છે.



Related Articles:
સુંદર ત્વચા અને સારા ફિગર માટે શું ખાશો અને શું નહિ?
જેના વાળ સુંદર અને મુલાયમ હોય તે કંઈક આવા હોય...!
હંમેશા સુંદર દેખાવા અપનાવો આવી ખાસ ટિપ્સ

Related Articles:
11 સરળ નુસખા,માત્ર 1 મહિનો અને મેળવો આકર્ષક ફિગર
ખોડો દુર કરવાનાં આ છે સરળ ઘરગથ્થુ નુસખા
ઘા ભલે ને ઊંડો હોય..જડમુળથી મટાડી દેશે આ દેશી નુસખા
શું જમવાનું બરાબર પચતું નથી? આ રહ્યા દાદીમાના સરળ નુસખા
16 દિવસમાં ખીલ-ફોલ્લીનું કામ તમામ! આ છે દાદીમાના નુસખા
માત્ર 3 નુસખા અપનાવો અને ખીલને કહો અલવિદા

No comments:

Post a Comment